ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિનય-૧


રંગવિનય-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગબીજે.
[શ્ર.ત્રિ.]