ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિલાસ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગવિલાસ(ગણિ) [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’નો એ અનુવાદ છે. કૃતિ : અધ્યાત્મકલ્પદ્રુમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, ઈ.૧૯૬૫ (પાંચમી આ.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]