ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નનિધાન ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નનિધાન(ઉપાધ્યાય) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ઈ.૧૫૯૩માં ઉપાધ્યાયપદ. તેઓ વ્યાકરણના પ્રકંડ પંડિત હતા. ૬ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ‘નવહરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૭૭), ૧૭ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૨ કડીનું ‘ઉપદેશાત્મક પદ’, ૯ કડીનું ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.), ‘સપ્તવ્યસન-સઝાય’ ઉપરાંત અનેક સ્તવનોના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ : ૩ (+સં.); ૨. જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]