ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપ્રભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નપ્રભ(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૪૨૩માં ભટનેરનિવાસી નાહરવંશીય નયણાગરે ભટનેરથી મથુરા સુધી કાઢેલી સંઘયાત્રાનું વર્ણન કરતા ૫૪ કડીના ‘સંઘપતિ નયણાગર-રાસ’(મુ.)ના કર્તા. કૃતિની રચના સંઘયાત્રા પછી થઈ હોય, એટલે કવિ રત્નપ્રભનો હયાતીકાળ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬, ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિ વિશેષાંક-‘સંઘપતિ નયણાગર-રાસ’ (સં.૧૪૭૯કી ભટનેરસે મથુરાયાત્રા), સં. ભંવરલાલ નાહટા. (+સં.). [ર.ર.દ.]