ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નલાભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નલાભ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. અમરમાણિક્યની પરંપરામાં ક્ષમારંગના શિષ્ય. ૩૫ કડીની ‘ઢંઢણકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, શ્રાવણ-૮, મંગળવાર/શુક્રવાર) તથા ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]