ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નલક્ષ્મી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નલક્ષ્મી [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. વિજ્યશેખરના શિષ્ય. સ્વરવિષયક સામગ્રીનું નિરૂપણ કરતી ૮૭ કડીની ‘સ્વરપ્રકાશ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, મહા સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]