ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવિજ્ય : આ નામે ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’ (લે.ઈ.૧૮૩૯), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘શાંતિનાથજિન-ચતુષ્ક’(મુ.), ૧૩ કડીની ‘નેમિનાથ-સઝાય’(મુ.) તથા ૧૩ કડીની ‘શીલ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રત્નવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. એકસોવીસ કલ્યાણકની પૂજા તથા સ્તવનોનો સંગ્રહ, પ્ર. શા. ગુલાબચંદ ફૂલચંદ, ઈ.૧૮૯૭; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. (કેવળકૃત) નેમવિવાહ તથા નેમનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર.શા. મોહનલાલ રુગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]