ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજવિજ્ય : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લે.ઈ.૧૬૫૬; મુ.), ૧૫ કડીના ‘નેમરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુક્મિણીની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘નેમરાજિમતી-બારમાસ’ સમયદૃષ્ટિએ રાજવિજ્ય-૧ની હોવાની સંભાવના થઈ શકે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]