ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજલાભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. વાચક હીરકીર્તિસૂરિની પરંપરામાં રાજહર્ષના શિષ્ય ‘ભદ્રાનંદ/આનંદસંધિ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, પોષ સુદ ૧૫, સોમવાર), ‘દાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા વદ ૨, સોમવાર), ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, આસો સુદ ૫), ૪૮ કડીનો ‘નેમિ-સલોકો’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, જેઠ-૧૧), ૨૯ કડીનું ‘વીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, કારતક સુદ ૧૧), ૨ કડીની ‘હીરકીર્તિ પરંપરા’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, મહા સુદ ૫; મુ.), ૨૩ કડીની ‘સ્વપ્નાધિકાર’ (ર.ઈ.૧૭૦૯/સં.૧૭૬૫, શ્રાવણ સુદ ૭), ‘ઉત્તરાધ્યાયન ૩૬-ગીત’, ‘વીશી’, ૨૮ કડીનો ‘ગોડી-છંદ’ તથાા ‘હીરકીર્તિસ્વર્ગાગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ ‘કતિપય ઔર સિલોકે’, સં. અગરચંદ નાહટા;  જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ર.ર.દ.]