ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાધાબાઈ-રાધેબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાધાબાઈ/રાધેબાઈ : ‘રાધે’ નામછાપવાળી કૃષ્ણભક્તિની ૩ ગરબીઓ ‘વસન્ત’ માાસિકમાં મુદ્રિત થઈ છે. એમના સંપાદકે કૃતિઓને વડોદરાના મરાઠી બ્રાહ્મણ કવયિત્રી રાધાબાઈની હોવાનું કહ્યું છે, પરંતુ આ ગરબીઓની ભાષાનું લાલિત્ય અને શુદ્ધ ગુજરાતી રૂપ ‘પ્રાચીન કાવ્યમાળા’માં રાધાબાઈને નામે મુદ્રિત કૃતિઓની ભાષાથી સાવ જુદું પડી જાય છે. એટલે આ ગરબીઓની રચયિતા રાધબાઈ કોઈ જુદી કવયિત્રી હોવાનું જણાય છે. રાધાબાઈને નામે ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી’ એ બે રચનાઓ મળે છે. તેમની રચયિતા આ રાધેબાઈ છે કે અન્ય કોઈ રાધાબાઈ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જુઓ રાધીબાઈ. કૃતિ : વસન્ત, શ્રાવણ ૧૯૬૭-‘કવિ રાધાબાઈ’, છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૪-‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ચ.શે.]