ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામકૃષ્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામકૃષ્ણ : આ નામે ‘ભક્તમાળ’ તથા કૃષ્ણભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનાં પદો(મુ.) મળે છે. આ કૃતિઓ કયા રામકૃષ્ણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. જ્ઞાન-વૈરાગ્યનાં પદો કદાચ રામ(ભક્ત)-૩નાં હોય. જુઓ રામ(ભક્ત)-૩. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]