ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામકૃષ્ણ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામકૃષ્ણ-૨ [ઈ.૧૭૦૨માં હયાત] : જૂનાગઢના કુંતલપુર (કુતિયાણા)ના કનોજિયા જ્ઞાતિના બ્રાહ્મણ. પિતા વિશ્રામ. પૂર્વછાયા અને ચોપાઈબંધના કડવાસદૃશ ૧૫ ખંડ ને ૯૬૩ કડીના મહાભારતના ‘સ્વર્ગારોહણપર્વ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. મૂળ કથાનો આછો તંતુ જાળવી કવિએ પાંડવોનાં ધર્મ અને સત્યની કસોટી કરવા માાટે નવા પ્રસંગો ઉમેર્યા છે. તેમ જ મધ્યકાલીન ભાવનાઓ અને વિચારો પણ અંદર ગૂંથી લીધાં છે. જુઓ રામકૃષ્ણ-૧. કૃતિ : મહાભારત : ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૯(+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]