ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામચંદ્ર-૭ [ઈ.૧૮૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાંચ ચરિત્ર ૩૬ દ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, કારતક વદ ૨)ના કર્તા. તેઓ રામચંદ્ર-૮ હોવાની સંભાવના છે પરંતુ એ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈન સત્યપ્રકશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]