ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામચંદ્ર-૮ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શિવચંદના શિષ્ય. ૧૦ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’(મુ.), ૧૦ કડીનું ‘શ્રી ફલવર્ધિમંડન પાર્શ્વજિન-સ્તવન’(મુ.), રાજસ્થાની અસર દર્શાવતી ‘કર્મબંધવિચાર’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭ કારતક-૫) અને ‘તેર કાઠિયા-સઝાય’ (ર.ઈ.૧૮૫૪/સં.૧૯૧૦, ભાદરવા સુદ ૧૦) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]