ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસસુત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામદાસસુત [ઈ.૧૫૯૩માં હયાત] : ભરૂચના વતની મન્થ/મન્ય એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, શ્રાવણ સુદ ૧૦) સંકલનાની દૃષ્ટિએ શિથિલ, પરંતુ અન્ય અંબરીષકથા પર રચાયેલાં આખ્યાનો કરતાં વર્ણનો ને ભાષાના લાલિત્યમાં જુદી ભાત પાડે છે. ‘કૃષ્ણલીલા’ કૃતિ પણ એમણે રચી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા.’ [ચ.શે.]