ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામનાથ : આ નામે કૃષ્ણભક્તિનાં પદ (૬ કડીનું ૧ પદ મુ.) તથા ૮ કડીની માતાજીની સ્તુતિ(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા રામનાથ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]