ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામનાથ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામનાથ-૧ [ઈ.૧૭૪૪ સુધીમાં] : સુરતના શિવઉપાસક. તેમના અવસાન બાદ, તેમના શિષ્ય રાજગીરે ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, મહા સુદ ૫ ને સોમવારે એક શિવાલયમાં શિવપ્રતિમા પધરાવી તેને ‘રામનાથ મહાદેવ’ નામ આપેલું. તેમણે ઘણાં પદો અને વચનામૃતો રચ્યાં હતા. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાંક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [શ્ર.ત્રિ.]