ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામા કર્ણવેધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામા(કર્ણવેધી) [અવ. ઈ.૧૫૩૮] : કડવાગચ્છના જૈન સાધુ. ઈ.૧૫૩૦માં થરાદમાં તેમણે ખીમા શાહથી જુદી પડી કડવામતની જુદી શાખા શરૂ કરેલી. તેમની પાસેથી ‘વીરવિવાહલો/વીરનાહવિવાહલું’ (ર.ઈ.૧૫૩૬/૧૫૩૮), ‘લુંપક હુંડી’ (ર.ઈ.૧૫૩૬) અને ‘પરી પુનાંકો દિએ હુએ પત્ર’ - એ કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન, ૧૯૫૩-‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]