ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીભદ્ર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીભદ્ર(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. વ્યાકરણશાસ્ત્રના પ્રખર વિદ્વાન. ૧૦ કડીની ‘શ્રી મુનિ સુંદરસૂરિ-વિજ્ઞપ્તિ’ (ર.ઈ.૧૪૪૨; મુ.)ના કર્તા. આ ઉપરાંત, ગુરુએ રચેલી ‘મિત્રચતુષ્ક-કથા’નું ઈ.૧૪૨૮માં અને રત્નશેખરસૂરિકૃત ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ અર્થદીપિકા’નું ઈ.૧૪૪૦માં એમણે શોધન કર્યું હતું. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]