ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીમૂર્તિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીમૂર્તિ-૧ [ ] : જૈન સાધુ. સકલહર્ષસૂરિના શિષ્ય. ૭૦/૮૪ કડીનું ‘શાંતિજિન-સ્તવન (ભવસ્થિતિ વિચારગર્ભિત કુમારગિરિ મંડન)/શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૭૯ કડીનું ‘કાયસ્થિતિ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]