ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલરત્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલરત્ન [ઈ.૧૭૧૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં રાજરત્નના શિષ્ય. ૨૨ ઢાળની ‘રત્નસારકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા વદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]