ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલવિજ્ય-: આ નામે મળતો ૩૯૬ કડીનો ‘આલોયણપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૦૭) અને ૪૫ કડીની ‘દશ શ્રાવક-સઝાય’ (ર.ઈ.૧૬૨૦) સમયદૃષ્ટિએ વિચારતાં શુભવિજ્યશિષ્ય લાલવિજ્યનાં હોવા સંભવ છે. ૬૪ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૫૦), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૩૩ કડીની ‘રોહિણી સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૫ કડીની ‘સચિતભૂમિ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૯ કડીની ‘ગુરુવિનતિ-સઝાય’(મુ.), ૪ કડીની નંદીશ્વર-શાશ્વતજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૭૯૩), ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’(લે.સં.૧૯મી સદી અનુ.), ૪ કડીની ‘મૌન એકાદશીની સ્તુતિ’(મુ.) અને ૯ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ આ નામે મળે છે. તેમના કર્તા કયા લાલવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. સૂર્યપૂર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]