ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યચંદ્ર [ઈ.૧૬૭૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં ઉત્તમચંદ્રશિષ્ય-લક્ષ્મીચંદના શિષ્ય. ૮ ઢાળ અને ૧૦૯ કડીનો ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.), ૪ ઢાળ અને ૪૧ કડીનું ‘શ્રી ગોડીપાર્શ્વનાથનું ચોઢાળિયું (મુ.), ૧૫ ઢાળની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩) અને ૪ ઢાળની ‘સાધુગુણ-ભાસ’ના કર્તા. કૃતિ : ૧. શ્રી આર્યકલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ, સં. શ્રી કલ્યાણપ્રભસાગરજી, ઈ.૧૯૮૨; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈપ્રપુસ્તક. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]