ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યદેવ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ની પરંપરામાં જયદેવના શિષ્ય. ૭૫ કડીના, ચૌદ ગુણસ્થાનોનું સંક્ષેપમાં નિરૂપણ કરતા ‘કર્મવિવરણનો રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી. [કા.શા.]