ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/'વ્રજસખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


'વ્રજસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે. કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં). સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]