ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્રજસેવક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્રજસેવક [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા. કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.) સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]