ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વણારસીબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વણારસીબાઈ [ ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. છાણી (તા. વડોદરા)નાં વતની અને જ્ઞાતિએ શ્રીગોડ બ્રાહ્મણ. નિરાંતના ૧૬ પ્રમુખ શિષ્યોમાંનાં એક. તેમની જ્ઞાનગાદી છાણીમાં હતી જે પાછળથી ચાલી ન હતી. તેમણે કેટલાંક ભક્તિવિષયક પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦; ૨. ગુસાઇતિહાસ ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકામાલા : ૧૦-પ્રસ્તા. [દે.દ.]