ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તુપાલ બ્રહ્મ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસ્તુપાલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૯૮માં હયાત] : દિગંબર સરસ્વતીગચ્છના જૈન સાધુ. સુમતિકીર્તિના શિષ્ય ગુણકીર્તિના શિષ્ય. ‘રોહિણીવ્રત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, અસાડ સુદ ૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]