ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાનો [ઈ.૧૬૩૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક કવિ. વિજ્યાનંદસૂરિના શિષ્ય. મુનિસુંદરસૂરિના સંસ્કૃત ‘જયાનંદચરિત્ર’ પરથી રચાયેલી ૫ ઉલ્લાસ અને ૧૨૦૭ કડીની ‘જયાનંદકેવલી-ચરિત્ર/રાસ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.) કૃતિના કર્તા. કૃતિ : આકામહોદધિ : ૩(+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ગી.મુ.]