ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાસણદાસ-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન-રાસ/રાધા-રાસ’ (લે.ઈ.૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પરિચય દેખાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૪. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]