ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાસુ [ઈ.૧૫૯૧ સુધીમાં] : દુહા-ચોપાઈની ૧૭૦ કડી ને ૨ પદોની બનેલી ‘સગાળશા-આખ્યાન/કર્ણકથા’ (લે.ઈ.૧૫૯૧;મુ.)ના કર્તા. નાકર કવિની આ કૃતિથી વાકેફ હોવાની શક્યતા અને કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૪૪૪-૧૪૯૪ દરમ્યાન થયા હોવાનું અનુમાન થયું છે. સગાળશા કુંતીપુત્ર કર્ણનો અવતાર હતો એ લોકપરંપરાની માન્યતાને વ્યક્ત કરતું આ કાવ્ય એમાં પ્રયોજાયેલી લોભ, દયા, અન્નવિષયક બોધાત્મક ચિંતનકંડિકાઓ તથા ૨ પદોમાંથી નિષ્પન્ન થતા કરુણભાવને લીધે ધ્યાનાર્હ છે. કૃતિ : સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]