ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદેવ-સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૯; મુ.), ‘શોભનસ્તુતિ-ચતુર્વિંશતિકા’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૫) તથા ૩૦ કડીના ‘નેમરાજુલ-ગીત’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩-‘સીમંધર વિનતિ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]