ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યસાગર-૧ [ઈ.૧૬૦૫ આસપસ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પંરપરામાં સહજસાગરના શિષ્ય. ૬ ઢાલના ‘સમેતશિખરતીર્થમાલા-સ્તવન’(મુ.)ના કર્તા. પાલગંજ સમેતશિખરના રક્ષક રાજા પૃથ્વીમલ્લની હયાતીમાં રચાયેલ હોવાથી ‘જૈન ગૂર્જર કવિઓ’ તે ઈ.૧૬૦૫ આસપાસ રચાઈ હોવાનું માને છે. સહજસાગરશિષ્યને નામે મળતી ૩ ઢાલ અને ૬૪ કડીની ‘ઇષુકારઅધ્યયન-સઝાય’ (ર.ઈ.૧૬૧૩) રચનાસમય અને ગુરુપરંપરાને લક્ષમાં લેતાં પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]