ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યસાગર-૨ [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [શ્ર.ત્રિ.]