ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિઠ્ઠલ જી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિઠ્ઠલ(જી)-૧[જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૨/સં.૧૯૧૮, આસો] : જામનગરના પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતાનું નામ કસનજી. સંસ્કૃતના વિદ્વાન. વૈદકના પણ જાણકાર. તેમણે સંસ્કૃત તથા ગુજરાતી બંનેમાં સર્જન કર્યું છે. ‘રાસપંચાધ્યાયી’ (અંશત: મુ.)ના કર્તા. કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪(+સં.). સંદર્ભ : મારાં અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.]