ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનીતકુશલ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : પ્રાતીસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]