ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનીતવિજય : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]