ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનીતવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. વિજયમાનસૂરિ (જ.ઈ.૧૬૫૧-અવ. ઈ.૧૭૨૪)ના સમકાલીન. ૧૨૫ કડીના ‘૧૨૪ અતિચારમય શ્રી મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૩), ૭૯ કડીના ‘ચોવીસ દંડક વિચારમયવીરજિન-સ્તવન’ (ર.સં. સાયર દ્વિજકર ગુણ નભમાસ, સુદ ૩, ગુરુવાર), અને પર્યુષણપર્વને લગતાં ૩-૩ કડીનાં કેટલાંક ચૈત્યવંદનો(મુ.)ના કર્તા. કૃતિ : સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]