ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિજય પંડિત-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિબુધવિજય(પંડિત)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ-, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]