ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલચારિત્ર ગણિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલચારિત્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : નાગોરી વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચારિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર/રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૩, માગશર સુદ ૨, ગુરુવાર; મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯)ના કર્તા. કૃતિ : *ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]