ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરચંદ મુનિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરચંદ(મુનિ-૨) [ ] : જૈન. નેમિનાથના વિવાહપ્રસંગનું વર્ણન કરતા ૧૦૪ કડીના ‘વીરવિલાસ-ફાગ’ના કર્તા. આ કૃતિ ઈ.૧૬-૧૭મી સદીની હોવાનું ઉલ્લેખાયું છે. સંદર્ભ - સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગમ્બર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]