ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરજી મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદસૂરિની પરંપરામાં દેવચંદ્ર(વણારસી)ના શિષ્ય. ૧૩ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-ગીત’ (ર.ઈ.૧૬૪૬) તથા વિવિધ રાગના નિર્દેશવાળા દુહાની દેશીના ૧૩ ઢાળમાં જુદાં જુદાં કર્મોના પરિણામનું વર્ણન કરતી ‘કર્મવિપાક/જંબૂપૃચ્છા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨ મુ.) નામની રચનાઓના કર્તા. કૃતિ : કર્મવિપાક/જંબૂપૃચ્છારાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૦. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]