ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ નિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમવાર; મુ.), ૪ કડીની ‘નેમિજિન-સ્તુતિ/પંચમી-સ્તુતિ’(મુ.) તથા ૮ કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]