ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસિંહ-વરસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરસિંહ/વરસિંહ [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે. ભાગવતની ઉષા(ઓખા) વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે-દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંક્તિનું ‘ઉષાહરણ’ કાવ્ય આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ દૃષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી શૃંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢ્ય પ્રૌઢ ભાષા વગેરે તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે. કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૩૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. મુપુગૂહસૂચી.[ચ.શે.]