ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલા મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેલા(મુનિ) [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસૂરિ (અવ.ઈ.૧૫૬૬)ના ઉલ્લેખ અનુસાર કૃતિ ઈ.૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]