ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભચંદ્રાચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુભચંદ્રાચાર્ય [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]