ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંગ્રામસિંહ મંત્રી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંગ્રામસિંહ(મંત્રી)-૨ [ ] : જૈન શ્રાવક હોવાની સંભાવના. અંચલગચ્છના જયશેખરસૂરિના શિષ્ય. ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ દરમ્યાન ૧ અંચલગચ્છીય જયશેખરસૂરિ થઈ ગયા. આ કવિ જો એમના શિષ્ય હોય તો તેઓ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં થઈ ગયા હોવાનું કહી શકાય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૧૮૨ કડીમાં રચાયેલો ‘શાલિભદ્રચરિત્ર-રાસ’ એમાં પ્રયોજાયેલા વિવિધ રાગોને લીધે વિશિષ્ટ છે. શાલિભદ્રના પૂર્વભવ અને આ ભવની કથા કહેતા આ રાસમાં શાલિભદ્રના સિદ્ધજીવન તરફના વિકાસની કથા આલેખાઈ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]