ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘવિજ્ય-૨ સિંઘવિજ્ય-સિંહવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંઘવિજ્ય-૨/સિંઘવિજ્ય/સિંહવિજ્ય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૪૨ કડીનું ‘ઋષભદેવાધિદેવ-જિનરાજ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૩), ‘વિક્રમસેનશનિશ્ચર-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર સુદ ૨; મુ.), ‘અમરસેન-વયરસેનરાજર્ષિ-આખ્યાન’ (ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર સુદ ૫) તથા ૪૩ કડીનો ‘ભગવતી/ભારતી-છંદ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. તેમણે સંસ્કૃત ગ્રંથ ‘કલ્પસૂત્ર’ પર દીપિકા પણ રચી છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૬-‘સરસ્વતી પૂજા અને જૈનો’, સારાભાઈ મ. નવાબ; ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩થી મે ૧૯૩૪-‘સિંહાસન બત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. ગુસારસ્વરૂપો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]