ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજરત્ન-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહજરત્ન-૨ [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન. ૩૨ કડીના ‘લોકનાલ દ્વાત્રિંશિંકા’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૮૫૯; મુ.)ના કર્તા. કૃતિ : શ્રી પ્રકરણરત્નસાર : ૨, પ્ર. ભીમસિંહ માણક, સં. ૧૯૩૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]