ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાંવતરામ ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાંવતરામ(ઋષિ)[ઈ.૧૯મી સદી] : જૈન સાધુ. ૧૦૦૦ ગ્રંથાગ્રની ‘મદનકુમાર/મદનસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, ફાગણ સુદ ૭) તથા ‘સતીવિવરણ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર વદ ૭) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]